કુતિયાણા પંથકમાં ચકચારી બનેલા ખુનકેસમાં આરોપીને જામીન આપતી પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટ…
૨૦૨૦ ની સાલમાં કુતિયાણા પંથકમાં મિત્રો પાર્ટી કરવા બેઠેલા હોય અને તે વખતે કોઈપણ કારણોસર બોલાચાલી થતા અને તે બોલાચાલીમાં રમેશભાઈ કડેગીયા નું ખુન થઈ ગયેલું હોય અને તે અન્વયે મરનારના ભાઈ વિજયભાઈ શીણાભાઈ કડેંગીયા દ્વારા આરોપી તરીકે વિજય મેરૂભાઈ ભુતીયા તથા અજાણ્યા ઈસમો કે જેના નામ આવડતા નથી. તે મતલબની કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલી હતી. ત્યારબાદ પોલીસ તપાસ કરતા પોલીસ તપાસ મુજબ વિયજ મેરૂભાઈ ભુતીયા એ એકલાએ જ ખુન કરેલ હોવાનું જણાવી તે મુજબ ચાર્જશીટ કરેલી હતી. અને તે સંબંધેનો કેસ પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતો હતો. અને તે કેસમાં પોલીસ રેકર્ડ મુજબ એકમાત્ર આઈ વીટનેશ હોય કે જે દેવાભાઈ વેજાભાઈ ઓડેદરા કે જેને કોર્ટ દ્વારા વારંવાર સમન્સ કાઢતા તે મળી આવતો ન હોય તેથી જ આરોપી વિજય મેરૂભાઈ ભુતીયા ના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી દ્રારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી. અને તેણે દલીલમાં જણાવેલ કે, બનાવના નજરે જોનાર સાથી દેવાભાઈ વેજાભાઈ ઓડેદરા એ પોતાના નિવેદનમાં સ્પષ્ટ લખાવેલું હતું. કે , ” વિજય મેરૂભાઈ ભુતીયા તલવારથી ધા મારતો હતો અને બે અજાણ્યા માણસો હતાં તે પણ રમેશભાઈ ને મારતા હતા. અને તે રીતે નજરે જોનાર સાક્ષીએ કુલ-૩ લોકો મારનાર હોવાનુ જણાવેલુ હોય જયારે સમગ્ર ચાર્જશીટમાં માત્ર ૧ વ્યકિતએ જ એટલે કે, વિજયએ જ મારેલ હોવાનુ ચાર્જશીટમાં જણાવેલુ હોય એટલુ જ નહી નજરે જોનાર સાક્ષી દેવાભાઈ ને નામદાર કોર્ટ દ્વારા બ–૩ વખત સમન્સ કાઢેલા હોય પરંતુ પોલીસના શેરા મુજબ તે રખડતુ ભટકતુ જીવન જીવતો હોય, કયાંય મળી આવતો નથી. અને તે રીતે પોલીસ જ પોતાના સાથીઓને પુછી શકતી ન હોય તો તે કારણે આરોપીને જેલમાં રાખી શકાય નહીં. અને પોલીસ તેને કેટલા વર્ષે ગોતી શકશે ? અને કયારેય ગોતી શકશે ? તે નકકી થઈ શકે તેમ ન હોય અને તે દરમ્યાન હાલના આરોપી છેલ્લા-૨ વર્ષથી જેલમાં હોય અને નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ જો કેસ ચાલતા લાંબો સમય લાગે અને હજુ પણ લાંબો કેસ ચાલે તેવી સંભાવના હોય ત્યારે આરોપીને જેલમાં રાખી શકાય નહીં. અને તે રીતે પણ જામીન આપવા જોઈએ તેવી દલીલ કરતા અને હાલ આરોપીને તેના વાંક ગુન્હા વગર પ્રિપનીસમેન્ટ થઈ રહેલુ હોય તેથી જ જામીન આપવા વિનંતી કરતા નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા રેકર્ડ ઉપરનો પુરાવો તેમજ નજરે જોનાર સાક્ષી મળી આવતો ન હોય તે હકિકત ધ્યાને લઈ નામ. ગુજ. હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને રાખી વિજય મેરૂભાઈ ભુતીયા ને શ૨તોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |